લખાણ પર જાઓ

એશિયાઇ સિંહ

વિકિપીડિયામાંથી
RedBot (ચર્ચા | યોગદાન) (r2.7.2) (રોબોટ ઉમેરણ: jbo:cinfo) દ્વારા ૦૨:૩૪, ૧૬ જુલાઇ ૨૦૧૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
એશિયાઇ સિંહ
એશિયાઇ સિંહ
સ્થાનિક નામસિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર
અંગ્રેજી નામASIATIC LION
વૈજ્ઞાનિક નામPanthera leo persica
આયુષ્ય૧૫ થી ૧૮ વર્ષ
લંબાઇમાથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા)
ઉંચાઇ૧૦૫ સેમી.
વજન૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા)
સંવનનકાળઓક્ટોબર થી ડીસેમ્બર
ગર્ભકાળ૧૦૫ થી ૧૧૦ દિવસ
પુખ્તતા૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા)
દેખાવશરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે, પાછળનો શરીરનો ભાગ પાતળો., જાડી લાંબી પુંછડી, નાના કાન., નર સિંહને ગળામાં કેશવાળી હોય છે.
ખોરાકસામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશીંગા, ચિંકારા, ભેંશ, ગાય વગેરે.
વ્યાપફક્ત ગીરનાં જંગલમાં.
રહેણાંકસુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ.
ઉપસ્થિતિ ના ચિન્હોપગલાં, મારણ, ગર્જના.
ગુજરાતમાં વસ્તી૩૫૯ (૨૦૦૫), ૪૧૧ (૨૦૧૦)
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૩ ના આધારે અપાયેલ છે.

એશીયાઇ સિંહબિલાડી વંશનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશીયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતી માં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો,બરફ નો દિપડો(snow leopard), અને ધબ્બેદાર દિપડો(clouded leopard) વગેરે છે.
પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં , ત્યારે તેની ત્રણ પ્રજાતીઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ ,વખત જતા આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતાજ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતીમાં સરખીજ હોય છે.

સિંહણ

વર્તુણક

આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકિકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે.[] સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.

સંદર્ભ

  1. 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત પુસ્તક "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ"

બાહ્ય કડીઓ